કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સભ્ય સમાજમાં હિંસા અને લાલ આતંકવાદને કોઈ સ્થાન નથી. તેમણે કહ્યું કે સરકારે નક્સલવાદને જડમૂળથી નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ કરશે. તેઓ છત્તીસગઢના નવા રાયપુરના બંજરી ગામમાં રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને કેન્દ્રીય રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાનો શિલાન્યાસ કર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં ફોજદારી ન્યાય પ્રણાલીને આધુનિક બનાવવા માટે આ નવી પહેલ કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ આવતા વર્ષે માર્ચ સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાના તેમના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે જે રીતે સુરક્ષા દળો છત્તીસગઢ સહિત વિવિધ રાજ્યોમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે, તે જોતાં લક્ષ્ય ટૂંક સમયમાં પ્રાપ્ત થશે.
શ્રી શાહે નક્સલ વિરોધી કામગીરીની સમીક્ષા કરવા માટે રાયપુરમાં સાત નક્સલ પ્રભાવિત રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી.