ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 5, 2024 11:09 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #AndhraPradeshFloods

printer

કેન્દ્રીય આંતર-મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે.

કેન્દ્રીય આંતર-મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના કૃષ્ણા, એનટીઆર, ગુંટુર અને અન્ય પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિક સચિવ સંજીવ કુમાર જિંદાલના નેતૃત્વમાં આ ટીમ પૂરને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરશે અને પીડિતો સાથે વાતચીત કરશે.
દરમિયાન આંધ્ર પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડવા માટે-NDRF ની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીમાં કરી રહી છે. અત્યાર સુધીમાં NDRF એ 319 લોકોને બચાવ્યા છે અને લગભગ 12 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને રાહત પુરવઠો અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.