ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 12, 2025 8:52 એ એમ (AM)

printer

કુલ 61 લાખથી વધુ વિદ્યાર્થીઓ આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષા આપશે

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષા યોજવામાં આવશે. કુલ 61 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી છે. રાજ્યના 2500થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.હવેથી આ પરીક્ષાનાં મેરિટનાં આધારે જ જ્ઞાનસાધના મેરિટ શિષ્યવૃતિ અને આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની 74 આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ આપવામાં આવશે.