સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે. આજે લખનૌમાંબ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગ ફેસિલિટીનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટનકરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, આ ઓપરેશન આતંકવાદ સામે ભારતની મજબૂત ઇચ્છાશક્તિ અનેલશ્કરી શક્તિને પ્રતિબિંબિત કરે છે. (બાઈટ- સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ – ટેરર એક્શન) તેમણે કહ્યું કે, ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓનોનાશ કરવાના ઉદ્દેશ્યથી ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું અને રહેણાંક વિસ્તારોને નિશાનબનાવવામાં આવ્યા ન હતા. પરંતુ પાકિસ્તાને ભારતના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યાઅને મંદિરો, ગુરુદ્વારા અને ચર્ચો પરપણ હુમલો કર્યો. શ્રી સિંહે કહ્યું કે, બ્રહ્મોસ એરોસ્પેસ ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગફેસિલિટી દેશની સ્ટ્રાઇક પાવરમાં વધારો કરશે. આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર આ સુવિધાનુંલોન્ચિંગ ખાસ કરીને મહત્વપૂર્ણ છે. 1998 માં આ દિવસે, આપણા વૈજ્ઞાનિકોએ પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વનેભારતની શક્તિ દર્શાવી હતી. બ્રહ્મોસ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલોમાંનીએક છે અને તે માત્ર એક શસ્ત્ર નથી પરંતુ દેશના સશસ્ત્ર દળોની ક્ષમતાનો સંદેશ છે.
Site Admin | મે 11, 2025 4:56 પી એમ(PM)
ઓપરેશન સિંદૂર માત્ર લશ્કરી કાર્યવાહી નથી પરંતુભારતની રાજકીય, સામાજિક અને વ્યૂહાત્મક ઇચ્છાશક્તિનું પ્રતીક છે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
