ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 8, 2025 1:51 પી એમ(PM)

printer

ઓપરેશન સિંદૂર અંગેની માહિતી આપવા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી: તમામ વિરોધ પક્ષો હાજર રહ્યા.

ઓપરેશન સિંદૂરના પગલે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનાં અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક યોજાઈ. સંસદ ભવનમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને ઓપરેશન અંગેની માહિતી આપવામાં આવી હતી.
બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન, રાજ્યસભામાં ગૃહના નેતા જે. પી. નડ્ડા, રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય, એનસીપી (એસપી) નેતા સુપ્રિયા સુળે સહિતનાં નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તમામ પક્ષોનાં નેતાઓએ ઓપરેશન સિંદુરની પ્રશંસા કરી છે અને આતંકવાદી વિરુધ્ધ સૈન્ય કાર્યવાહીને સમર્થન આપ્યું છે.