ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 7, 2025 3:00 પી એમ(PM)

printer

ઓપરેશન સિંદૂરને પગલે, દેશમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી

ઓપરેશન સિંદૂરને પગલે, દેશમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ આ મહિનાની 10મી તારીખ સુધી રદ રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રિશેડ્યુલિંગ ચાર્જ પર એક વખતની છૂટ અથવા રદ કરવા માટે સંપૂર્ણ રિફંડ અપાશે.
સુરક્ષાને ધ્યાને રાખી રાજકોટ, જામનગર, ભુજ અને કંડલા હવાઈ-મથકને સામાન્ય નાગરિકો માટે અચોક્કસ મુદત સુધી બંધ કરાયું છે.ઉડ્ડયન અધિકારીઓની સૂચના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇન્ડિગોએ શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાળા, બિકાનેર અને જોધપુર જતી ફ્લાઇટ્સ આજ માટે રદ કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ