ઓપરેશન સિંદૂરને પગલે, દેશમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ આ મહિનાની 10મી તારીખ સુધી રદ રહેશે. આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રિશેડ્યુલિંગ ચાર્જ પર એક વખતની છૂટ અથવા રદ કરવા માટે સંપૂર્ણ રિફંડ અપાશે.
સુરક્ષાને ધ્યાને રાખી રાજકોટ, જામનગર, ભુજ અને કંડલા હવાઈ-મથકને સામાન્ય નાગરિકો માટે અચોક્કસ મુદત સુધી બંધ કરાયું છે.ઉડ્ડયન અધિકારીઓની સૂચના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇન્ડિગોએ શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ, ધર્મશાળા, બિકાનેર અને જોધપુર જતી ફ્લાઇટ્સ આજ માટે રદ કરી છે.
Site Admin | મે 7, 2025 3:00 પી એમ(PM)
ઓપરેશન સિંદૂરને પગલે, દેશમાં અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
