ટેસ્ટ ક્રિકેટમાં, ભારતે લીડ્ઝના હેડિંગ્લે ખાતે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડને જીતવા માટે 371 રનનો લક્ષ્યાંક આપ્યો છે. લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડે ગઈકાલેચોથા દિવસની રમતના અંતે વિના વિકેટે 21 રન બનાવ્યા હતા. ઇંગલેન્ડને જીતવા માટે આજે અંતિમ દિવસે વધુ 350 રનની જરૂર છે. ભારતે મેચ જીતવા માટે તમામ 10 વિકેટ લેવી પડશે.
અગાઉ, ભારતે કેએલ રાહુલ અને રિષભ પંતની શાનદાર સદીની મદદથી બીજી ઇનિંગ્સમાં 364 રન કર્યા હતા. પંતે એક જ ટેસ્ટ મેચમાં બે સદી ફટકારનાર પ્રથમ એશિયન વિકેટકીપર-બેટ્સમેન બનીને પણ ઇતિહાસ રચ્યો હતો. તેમણે પ્રથમ દાવમાં 134 રન પણ બનાવ્યા હતા. પ્રથમ દાવમાં ભારતના 471 રનના જવાબમાં ઇંગ્લેન્ડે 465 રન બનાવ્યા હતા.
Site Admin | જૂન 24, 2025 8:41 એ એમ (AM)
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 371 રનનો લક્ષ્યાંક આપ્યો
