મહારાષ્ટ્રના રખેવાળ સરકારના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદે, ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCPના વડા અજિત પવાર ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.
આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પણ હાજર હતા.
શ્રી એકનાથ શિંદે પહેલાથી જ કહી ચુક્યા છે કે તેઓ રાજ્યમાં સરકારની રચનામાં અવરોધરૂપ બનશે નહીં અને રાજ્યમાં ટોચના હોદ્દા અંગે ભાજપના કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયને અનુસરશે.
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિએ પ્રચંડ જીત નોંધાવી છે.
Site Admin | નવેમ્બર 29, 2024 10:00 એ એમ (AM)
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા
