ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં જણાવ્યું કે, ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરી ઉંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવા સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે.
એક પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સરીગામ, વાપી, સુરત, અંકલેશ્વર-ઝઘડીયા, અમદાવાદ અને જેતપુર માટે ડીપ-સી ડીસ્ચાર્જ યોજનાના અમલીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેતપુર પ્રોજેક્ટ માટે પાઇપલાઇન નાખવા 10 કરોડ રૂપિયા અને અંકલેશ્વર ખાતે 61 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે.
Site Admin | માર્ચ 18, 2025 7:14 પી એમ(PM)
ઉદ્યોગમાંથી નીકળતા ગંદા પાણીને શુદ્ધ કરી ઉંડા દરિયામાં પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નિકાલ કરવા સરકાર દ્વારા ડીપ સી ડિસ્પોઝલ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. – ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત
