ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 23, 2025 2:09 પી એમ(PM)

printer

ઉત્તર-પૂર્વ રાજ્યો હવે તકોની ભૂમિ બની રહ્યા છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. શ્રી મોદીએ રોકાણકારોને વિવિધ ક્ષેત્રોમાં રોકાણની શક્યતા ચકાસવા અનુરોધ કરતા જણાવ્યું કે, ઉત્તરપૂર્વ રાજ્યો હવે તકોની ભૂમિ બની રહ્યા છે. ખાસ કરીને ઊર્જા અને સેમિકન્ડક્ટર્સ જેવા ક્ષેત્રો માટે તે મહત્વનાં રોકાણ કેન્દ્રો બની રહ્યાં છે.

કેન્દ્રીયમંત્રી મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, સરકારે ઉત્તર-પૂર્વ રાજ્યોમાં માળખાકીય સુવિધાઓને વેગ આપવા અનેક પગલાં લીધાં છે.
તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં કુલ 17 હવાઇમથકો છે, જે 2000થી વધુ ઉડાન જોડાણો ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ઉત્તર-પૂર્વ માં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઉત્તર-પૂર્વ વિસ્તાર દક્ષિણ પૂર્વ એશિયાનો આંતરરાષ્ટ્રીય કોરિડોર બનશે.

બે દિવસીય શિખર સંમેલનનો ઉદ્દેશ ઉત્તર-પૂર્વ ક્ષેત્રને રોકાણ કરવાની તકોની ભૂમિ તરીકે પ્રકાશિત કરવાનો અને વૈશ્વિક અને સ્થાનિક રોકાણને આકર્ષવાનો છે. શિખર સંમેલનમાં મંત્રીઓનાં સત્રો, વેપાર-થી-સરકાર સત્રો, બેઠકો, સ્ટાર્ટઅપ અને નીતિના પ્રદર્શનો અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્રીય મંત્રાલયોની સંબંધિત પહેલોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ