અક્ષયતૃતિયાના પાવન પ્રસંગે આજે ઉત્તરકાશી જિલ્લામાં શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. આ સાથે જ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આરંભ થયો છે. વૈદિક મંત્રોચ્ચાર અને અન્ય ધાર્મિક વિધિ સાથે કપાટ ખોલવામાં આવ્યા. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં પૂજા-અર્ચના કરવા માટે ઉત્તરકાશી જિલ્લામાં આવ્યા છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ પૂજા-અર્ચના કરી. હવે કેદારનાથ ધામના કપાટ શુક્રવારે અને બદ્રીનાથ ધામના કપાટ રવિવારે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચારધામ યાત્રામાં દર વર્ષે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે.
Site Admin | એપ્રિલ 30, 2025 7:45 પી એમ(PM)
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આજથી આરંભ.
