ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ગઈકાલે ફોન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તેમણે શ્રી નેતન્યાહૂ સાથેની વાતચીતમાં પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની વહેલી તકે પુનઃસ્થાપનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ઇઝરાયલના વિદેશમંત્રી ગિદોન સારે પણ વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરને ફોન પર વર્તમાન પરિસ્થિત અંગે માહિતી આપી હતી. શ્રી જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચી સાથે પ્રદેશની નવીનતમ પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.
Site Admin | જૂન 14, 2025 9:20 એ એમ (AM)
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ અંગે ફોન પર ચર્ચા કરી
