ઓક્ટોબર 14, 2025 9:46 એ એમ (AM)

printer

આજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પંચમહાલના છબનપુરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે

વિકાસ સપ્તાહ અંતર્ગત આજે કૃષિ વિકાસ દિવસની ઉજવણી કરાશે. ત્યારે રાજ્યમાં આજથી બે દિવસ “રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫”નો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પંચમહાલના છબનપુરથી આ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહભાગી થશે.રાજ્યમાં 261 સ્થળોએ જિલ્લા-તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં મંત્રી, સાંસદ અને ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવશે. મહોત્સવમાં કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના 5 લાખથી વધુ લાભાર્થીઓને 600 કરોડ રૂપિયાની સહાયનું વિતરણ કરાશે. બે દિવસીય રવિ કૃષિ મહોત્સવમાં આશરે 3 લાખથી વધુ ખેડૂતો ભાગ લેશે. આ મહોત્સવ નિમિત્તે યોજાનાર કાર્યક્રમોના સ્થળોએ 2800 જેટલા કૃષિલક્ષી પ્રદર્શન સ્ટોલ ઉભા કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.