ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 18, 2025 7:38 પી એમ(PM)

printer

આગામી બે દિવસ રાજ્યમાં મહતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગામી બે દિવસમાં મહતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની અને પછીનાં બે દિવસમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો થવાની આગાહી કરી છે.
19થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં 20 થી 30 કિલોમીટરની ઝડપે ધૂળિયા પવન ફૂંકાવાની શક્યતાઓ છે, જેને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સમુદ્ર કિનારા પર ગરમ અને ભેજવાળું વાતાવરણ જોવા મળશે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહતમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, અમરેલીમાં 42.5 ડિગ્રી, અમદાવાદમાં 41.9 અને ગાંધીનગરમાં 41 ડિગ્રી, ડિસામાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.