અમદાવાદ વિમાન દુર્ઘટનાના 247 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 232 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે આ અંગે માહિતી આપતા કહ્યું, 247 મૃતકમાં 175 ભારતના નાગરિક, સાત પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, એક કૅનેડિયન તેમજ 12 નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે. જ્યારે 15 પરિવારને તેમના સ્વજનોના પાર્થિવ શરીર ઝડપથી સોંપવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે.ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલય અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ, વહીવટી તંત્ર સહિત આરોગ્ય અને અન્ય વિભાગો આજ દિવસ સુધી ખડેપગે કામ કરી રહી હોવાનું પણ શ્રી જોષીએ કહ્યું હતું.
Site Admin | જૂન 22, 2025 10:42 એ એમ (AM)
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 247 મૃતકના DNA નમૂના મૅચ થયા, 232 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા
