ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 22, 2025 10:42 એ એમ (AM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 247 મૃતકના DNA નમૂના મૅચ થયા, 232 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 247 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 232 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે આ અંગે માહિતી આપતા કહ્યું, 247 મૃતકમાં 175 ભારતના નાગરિક, સાત પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, એક કૅનેડિયન તેમજ 12 નોન-પેસેન્જરનો સમાવેશ થાય છે. જ્યારે 15 પરિવારને તેમના સ્વજનોના પાર્થિવ શરીર ઝડપથી સોંપવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે.ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વ-વિદ્યાલય અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ, વહીવટી તંત્ર સહિત આરોગ્ય અને અન્ય વિભાગો આજ દિવસ સુધી ખડેપગે કામ કરી રહી હોવાનું પણ શ્રી જોષીએ કહ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ