અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 247 DNA નમૂના મેચ થયા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 232 પાર્થિવદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. 23 લોકોને હવાઈ મુસાફરી દ્વારા અને 209 લોકોને માર્ગ પરિવહન દ્વારા તેમના વતને પહોંચાડવામાં આવ્યા છે.
જેમના પાર્થિવ દેહ સ્વજનોને સોંપવામાં આવ્યા છે તેમાં 175 ભારતીય, 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, એક કેનેડીયન અને 12 બિન મુસાફરોનો સમાવેશ થાય છે.