ગુજરાતી સાહિત્યનાં મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું ગતરાત્રે નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે તેમનું અનેરૂ યોગદાન રહ્યું છે.
પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર, અને ચરિત્ર નિંબધોના લેખક એવા સ્વર્ગિય રજનીકુમારના પુસ્તકો હિંદી, અંગ્રેજી, મરાઠી, સિંધી જેવી ભાષાઓમાં અનુવાદ થયા છે. તેમની કેટલીક નવલકથાઓ પરથી ટેલી ફિલ્મ, ટીવી સીરીયલો પણ બની છે. ગ્રામ્ય પત્રકારત્વ માટે તેઓને રાજ્ય સરકારનો એવોર્ડ તથા સ્ટેટમેન એવોર્ડ, ટૂંકી વાર્તાના ક્ષેત્રે સરોજ પાઠક અને ધૂમકેતુ એવોર્ડ તથા ગુજરાતી સાહિત્ય અકાદમી પરિષદના એવોર્ડ સહિત તેઓને અનેક એવોર્ડ સન્માનિત કરાયાં છે.
Site Admin | માર્ચ 16, 2025 9:14 એ એમ (AM)
અનેક એવોર્ડ મેળવનાર મેઘાવી ગુજરાતી સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની જૈફ વયે અમદાવાદમાં અવસાન
