અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોનજાલ્વેસ લોરેન્સોએ કહ્યું છે કે ભારત અને અંગોલા તેમના સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આજે નવી દિલ્હીમાં ભારત-અંગોલા બિઝનેસ ફોરમમાં બોલતા, તેમણે કહ્યું કે ભારત જેનરિક દવાઓમાં નિષ્ણાંત અને એક મુખ્ય ભાગીદાર છે.
વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે, ભારત-અંગોલા દ્વિપક્ષીય સંબંધો ભાગીદારી પર આધારિત છે. તેમણે કહ્યું કે 2023-24માં બંને દેશો વચ્ચેનો વેપાર 4 અરબ 20 કરોડ ડોલર સુધી પહોંચ્યો છે.
શ્રી કીર્તિ વર્ધનએ કહ્યું કે ભારતે સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અંગોલાને 20 કરોડ ડોલરની લોનની મંજૂરી આપી છે.