ફેબ્રુવારી 25, 2025 3:17 પી એમ(PM) ફેબ્રુવારી 25, 2025 3:17 પી એમ(PM)

views 3

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ

વિધાનસભાના અંદાજપત્ર સત્રને કારણે મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે નહિ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા દર મહિનાના ચોથા ગુરૂવારે યોજવામાં આવતો પ્રજાજનોની સમસ્યાઓ રજૂઆતોનું નિવારણ માટેનો “રાજ્ય સ્વાગત ઓન લાઈન” જન ફરીયાદ નિવારણ કાર્યક્રમ આ ગુરૂવાર તારીખ ૨૭ ફેબ્રુઆરીએ યોજાશે નહિ. જિલ્લા અને તાલુકા સ્વાગત રાબેતા મુજબ ચાલુ રહેશે.

ઓક્ટોબર 24, 2024 7:55 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 7:55 પી એમ(PM)

views 1

રાજ્યના નાગરિકોના પડતર પ્રશ્નના નિકાલ માટે આજે વિવિધ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો

રાજ્યના નાગરિકોના પડતર પ્રશ્નના નિકાલ માટે આજે વિવિધ જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો.જે અંતર્ગત ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા 21 પ્રશ્નમાંથી 19 પ્રશ્નના હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યા છે જ્યારે 2 પ્રશ્ન પડતર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ત્યાંનાં સ્થાનિકના પ્રશ્નનું સુખદ સમાધાન થતાં તેઓએ સરકારનો આભાર માન્યો હતો. ઉપરાંત કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ના સર્જાય, તે ધ્યાને આવતા એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે તપાસ કરી રહેણાંક મકાનમાં ચાલતું ગેરકાયદે ગોદામ બંધ કરાવાયું.આ સાથે જ દાહોદમાં ...