ઓગસ્ટ 12, 2024 3:44 પી એમ(PM)

views 20

આબકારી નીતિમાં કૌભાંડ કેસમાં સીબીઆઇએ કરેલી ધરપકડને યોગ્ય ઠેરવતા દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આબકારી નીતિ કૌભાંડમાં CBI દ્વારા તેમની ધરપકડને યોગ્ય ઠેરવવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. વરિષ્ઠ વકીલ અભિષેકમનુ સિંઘવીએ આજે તાકીદની સુનાવણી માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. તેના જવાબમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ઈ-મેલ વિનંતીની તપાસ કર્યા બાદ સુનાવણી માટે તારીખ જાહેર કરવામાં આવશે. સુપ્રીમકોર્ટે અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવેલા એક અલગ કેસમાં કેજરીવાલને જામીન આપ્યા હતા. ...