ઓક્ટોબર 6, 2024 2:04 પી એમ(PM)

views 21

મુંબઈ: ચેમ્બુરમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત

મુંબઈના ચેમ્બુરમાં એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. સિદ્ધાર્થ નગરમાં વહેલી સવારે ઘરમાં આગને કારણે 3 નાના બાળકો અને બે પુરૂષો અને બે મહિલાઓના મોત થાય છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 4.30 વાગ્યે ચેમ્બુરના સિદ્ધાર્થ નગર સ્થિત એક મકાનમાં આગ લાગી હતી. આગના સમયે ઘરના તમામ સભ્યો ગાઢ ઊંઘમાં હતા. પરંતુ ઘરમાં આગ લાગતાની સાથે જ તમામ સભ્યોએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળા...