સપ્ટેમ્બર 16, 2024 7:26 પી એમ(PM)

views 44

અમદાવાદથી ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ રેલવેનો આરંભ

અમદાવાદથી ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ રેલવેનો આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને લીલી ઝંડી ફરકાવીને તેનો આરંભ કરાવ્યો હતો..ત્યારે આજે સાંજે ભૂજ રેલવે સ્ટેશનથી નમો ભારત રેપિડ ટ્રેને પ્રસ્થાન કર્યુ હતું.. આજથી શરૂ થઇ રહેલી આ ટ્રેનમાં ભૂજથી લોકોએ ઢોલનગારા સાથે ટ્રેનમાં પ્રવેશ કર્યો હતો.. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં આ ટ્રેને અમદાવાદ આવવા પ્રસ્થાન કર્યુ હતું.. આ ટ્રેન અઠવડિયાના છ દિવસ દોડશે.