ડિસેમ્બર 10, 2024 10:15 એ એમ (AM)

views 11

ઉત્તરપ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો

ઉત્તરપ્રદેશના ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી અરવિંદ કુમાર શર્માએ અમદાવાદમાં પ્રયાગરાજ મહાકુંભ 2025ના પ્રચાર માટે રોડ શો યોજ્યો હતો. ભવ્ય અને ડિજિટલ રૂપે મહાકુંભનું આયોજન કરવાના માટે ઉત્તરપ્રદેશ સરકાર પ્રતિબદ્ધ છે, તેમ મંત્રી અરવિંદકુમાર શર્માએ આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.. આ વર્ષે મહાકુંભમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, 44 ઘાટો સહિત રિવરફ્રન્ટ પર ફૂલોની વર્ષા માટે આયોજન કરાયું છે. 2025માં 450 મિલિયનથી વધુ યાત્રાળુઓ, સંતો, સાધુઓ અને પ્રવાસીઓ મહાકુંભમાં આવે તેવી શક્યતા છે. મહાકું...