ઓગસ્ટ 1, 2024 7:56 પી એમ(PM)

views 34

ઉના અને રતનમહાલમાં નવી જંગલ સફારી જ્યારે કચ્છમાં ચીત્તાનું બ્રીડીંગ સેન્ટર શરૂ કરાશે

રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા હેતુથી વધુ કેટલાક પ્રવાસન સ્થળોએ જંગલ સફારીને માન્યતા આપવામાં આવી છે. જેમાં ઉનામાં તેમજ રતનમહાલમાં નવી જંગલ સફારી અને કચ્છમાં ચીત્તાના બ્રિડિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે.કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ વધુમાં આ મુજબ જણાવ્યું.