ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 26, 2025 2:08 પી એમ(PM)

printer

BJP ના લઘુમતી મોરચાએ સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યુઃ વંચિત મુસ્લિમોને વિશેષ કિટનું વિતરણ કરાશે

ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાએ સૌગાત-એ-મોદી અભિયાન શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ ઈદ પહેલા દેશભરના 32 લાખ વંચિત મુસ્લિમોને વિશેષ કિટનું વિતરણ કરવાનો છે. આ પહેલ એ સુનિશ્ચિત કરવા માગે છે કે, ગરીબ મુસ્લિમ પરિવારો કોઈપણ મુશ્કેલી વિના તહેવારની ઉજવણી કરી શકે.
આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, ભાજપના લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે લઘુમતી મોરચાના 32 હજાર કાર્યકરો જરૂરિયાતમંદો સુધી પહોંચવા માટે દેશભરમાં
32 હજાર મસ્જિદો સાથે સહયોગ કરશે. શ્રી જમાલ સિદ્દીકીએ અભિયાનના વ્યાપક દ્રષ્ટિકોણની માહિતી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ