લદ્દાખમાં ફસાયેલા પ્રવાસી માટે નિઃશુલ્ક રહેવાની સગવડ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પછી લેહ એરપોર્ટ બંધ થવાને કારણે ઉડ્ડયન રદ થતાં અનેક પ્રવાસીઓ લદ્દાખમાં ફસાયા છે. પ્રવાસીઓ હોટલ અથવા ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હોય તેમના માટે ઓલ લદ્દાખ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ એસોસિએશન તરફથી આ સુવિધા અપાઇ રહી છે.ભારતના સશસ્ત્ર દળોને સમર્થન આપવાના મજબૂત સંકેત તરીકે, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે બુકિંગ કરાવનારા સંરક્ષણ કર્મચારીઓ માટે ટિકિટનું મફત રિશેડ્યુલિંગ અથવા રદ કરવા પર સંપૂર્ણ રિફંડ ઓફર કરી છે.ટાટાની માલિકીની એરલાઇને જણાવ્યું હતું કે આ મહિનાની 31મી તારીખ સુધી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ પર સંરક્ષણ કર્મચારીઓ રદ કરવાના કિસ્સામાં સંપૂર્ણ રિફંડ મેળવવા માટે પાત્ર રહેશે. વધુમાં, 30 જૂન, 2025 સુધી મુસાફરીમાં ફેરફાર માટે એક વખતની રિશેડ્યુલિંગ માફી ઉપલબ્ધ રહેશે. એરલાઇને જણાવ્યું હતું કે આ પગલું સશસ્ત્ર દળોની નિઃસ્વાર્થ સેવા અને ફરજ પ્રતિબદ્ધતાઓને સમર્થન આપવા લેવામાં આવ્યું છે.
Site Admin | મે 8, 2025 9:15 એ એમ (AM)
હવાઇ સેવાઓ સ્થગિત કરાતા લદાખમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઇ. સંરક્ષણ સ્ટાફ માટે ઇન્ડિયન એરલાઇન્સે રિફંડની જાહેરાત કરી
