જનફરિયાદ નિવારણ માટેના “સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા છે. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પારદર્શક અને મુશ્કેલીમુક્ત રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે. ગઇકાલે રાજ્યભરમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં 3 હજાર 700થી વધુ અરજીઓ મળી હતી તેમાંથી 50 ટકા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યા હતો તથા 180 જેટલા અરજદારોની રજૂઆતોને મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલય દ્વારા સાંભળીને યોગ્ય નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પૈકી 15 અરજદારોને મુખ્યમંત્રીએ રૂબરૂમાં સાંભળ્યા હતા..
Site Admin | એપ્રિલ 25, 2025 9:33 એ એમ (AM) | Bhupendra Patel | swagat program
“સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા
