શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોને જણાવાયું છે કે, ટ્રસ્ટની સત્તાવાર વૅબસાઈટ SOMNATH.ORG સિવાય કોઈ પણ માધ્યમથી ઑનલાઈન પૅમેન્ટ જમા ન કરાવવું.શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્યારેય ટૅલિફૉન, ક્યૂઆર કૉડ અને UPIથી પૅમેન્ટ માગવામાં નથી આવતું તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મૅનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું.
Site Admin | માર્ચ 28, 2025 10:11 એ એમ (AM)
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઑનલાઈન વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી.
