પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભગવાન મહાવીર વનસ્થલી પાર્ક ખાતે એક વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું નેતૃત્વ કર્યું. શ્રી મોદીએ એક પેડ મા કે નામ પહેલ હેઠળ વડનો છોડ વાવ્યો. અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટના ભાગ રૂપે આ છોડ રોપવામાં આવ્યો હતો જેનો ઉદ્દેશ અરવલ્લી પર્વતમાળાના 700 કિલોમીટરના વિસ્તારમાં પુનઃવનીકરણ કરવાનો છે.
આ પ્રોજેક્ટનો હેતુ દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત સહિત ચાર રાજ્યોના 29 જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના પાંચ કિલોમીટરના બફર વિસ્તારમાં હરિયાળી ફેલાવવાનો છે. તેનો ઉદ્દેશ વનીકરણ, પુનઃવનીકરણ અને જળાશયોના પુનઃસ્થાપન દ્વારા અરવલ્લીની જૈવવિવિધતાને વેગ આપવાનો છે. સાથોસાથ આ યોજના દ્વારા પ્રદેશની જમીનની ફળદ્રુપતા, પાણીની ઉપલબ્ધતા અને આબોહવા સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવાનો પણ છે. આ પ્રોજેક્ટ સ્થાનિક સમુદાયોને રોજગાર અને આવક ઉત્પન્ન કરવાની તક પૂરી પાડીને લાભ કરશે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી સરકારની ટકાઉ પરિવહન પહેલ હેઠળ 200 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી પણ આપી હતી.
Site Admin | જૂન 5, 2025 2:11 પી એમ(PM)
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ અરવલ્લી પર્વતમાળાના પુનઃવનીકરણ કરવાના ઉદ્દેશ સાથે નવી દિલ્હીમાં વૃક્ષારોપણ કર્યુ.
