કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, લોકોને નવું ઘર આપવાની સાથે જૂના આવાસોનું નવીનીકરણ કરવું એ રાજ્ય સરકારની ઉત્તમ કાર્યશૈલીનું ઉદાહરણ છે. સુરતના માનદરવાજા ખાતે ગઈકાલે એક હજાર 312 ટેનામૅન્ટ, અગ્નિશમન મથક, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરતા શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, 40 ટકા વધારાની જગ્યા સાથે તૈયાર થનારું નવું ઘર ટેનામૅન્ટના પરિવારોને આનંદ આપશે.આ પ્રસંગે ધારાસભ્ય સંગીતા પાટીલે ઘણા વર્ષોથી મુશ્કેલીનો સામનો કરતા પરિવારોની સમસ્યાનો અંત આવ્યો હોવાનું જણાવ્યું.
Site Admin | જુલાઇ 6, 2025 10:01 એ એમ (AM)
લોકોને નવું ઘર આપવાની સાથે જૂના આવાસોનું નવીનીકરણ કરવું એ રાજ્ય સરકારની ઉત્તમ કાર્યશૈલીનું ઉદાહરણ – કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ
