ભારતીય સેનાના ઑપરેશન સિંદૂર બાદ વૈશ્વિક સમુદાયે ભારતસાથે એકતા દર્શાવી છે.
ઈઝરાયેલેઆતંકવાદ સામે ભારતના આત્મરક્ષા અધિકારનું સમર્થન કર્યું છે. ભારતમાં ઈઝરાયેલનારાજદૂત રૂવેન અઝારે એક્સ પર એક સંદેશમાં કહ્યું, ઈઝરાયેલ ભારતનું કરે છે. આતંકવાદીઓનેએ જાણ હોવી જોઈએ કે, નિર્દોષ લોકો સામે જઘન્ય કૃત્ય કરીને તેમને છૂપાવવા કોઈ જગ્યાનહીં મળે.
રશિયાનાવિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મારિયી જખારોવાએ કહ્યું, રશિયા કોઈ પણ આતંકવાદી કૃત્યોનીઆકરી ટીકા કરે છે. તેમણે કહ્યું, આતંકવાદની બદીને પહોંચવા માટે વૈશ્વિક સહકાર આવશ્યક છે.
જાપાનનાવિદેશ મંત્રી ઈવાયા તાકેશીએ આતંકવાદ સામે પોતાના દેશના કડક વલણની પુષ્ટિ કરતા બંનેદેશને ધીરજ રાખવા અપીલ કરી. જર્મનીનાવિદેશ કાર્યાલય દ્વારા એક્સ પર જાહેર કરાયેલા નિવેદનમાં શાંતિ જાળવી રાખવી આહ્વાનકરાયું છે. નિવેદનમાં કહેવાયું કે, જર્મની ભારત અને પાકિસ્તાન બંનેના સંપર્કમાં છેઅને આ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
તો કતરનાપ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ-રહમાન બિન જસીમ અલસાનીએ વિદેશ મંત્રી ડૉક્ટરસુબ્રમણ્યમ જયશંકર સાથે વાત કરી અને વાતચીત તેમજ શાંતિપૂર્ણ રીતે સમસ્યાનું સમાધાનશોધવામાં મદદ કરવાની ભલામણ કરી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ આતણાવ ઝડપથી પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી.