ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2024 7:51 પી એમ(PM)

printer

ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે

ભારતીય રેલવે દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા હજારો વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. આ વર્ષે રેલવે મુસાફરોની સરળતા માટે ગયા વર્ષની સરખામણીમાં બે હજાર પાંચસો વધારાની ટ્રેનોનું સંચાલન કરી રહી છે.
તાજેતરમાં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે ગયા વર્ષે ચાર હજાર પાંચસો ટ્રેનોની સરખામણીએ આ વર્ષે વિશેષ ટ્રેનોની સંખ્યા વધીને સાત હજાર થઈ ગઈ છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે સ્ટેશનો પર વધારાના ટિકિટ કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા છે. મુસાફરોની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન, પૂછપરછ કાઉન્ટર, પાણી અને ભોજનની સુવિધા તથા મોબાઈલ ટોઈલેટની પણ સ્થાપના કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.