ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 5, 2024 2:29 પી એમ(PM)

printer

ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ વિદેશની ધરતી પર થી રાષ્ટ્રીય હિત વિરુદ્ધ શંકાસ્પદ પ્રવૃતિનો મુદ્દો ઉઠાવ્યા બાદ હંગામાને પગલે રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી

ભારતીય જનતા પાર્ટી ના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ વિદેશની ધરતી પર થી રાષ્ટ્રીય હિત વિરુદ્ધ શંકાસ્પદ પ્રવૃતિનો મુદ્દો ઉઠાવ્યા બાદ હંગામાને પગલે રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી . શૂન્યકાળ દરમિયાન તેમણે આ મુદ્દો ઉઠાવતા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું કે આ ગંભીર બાબત છે અને તેમને નિર્ધારિત સમય કરતાં વધુ બોલવાની મંજૂરી આપી. વિરોધ પક્ષના સભ્યોએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષે વિપક્ષી સભ્યોને આશ્વાસન આપ્યું હતું કે તેમને પણ આ મુદ્દે બોલવા દેવામાં આવશે. ભારે ઘોંઘાટને પગલે અધ્યક્ષે ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.બાદમાં ૧૨ વાગ્યે રાજ્યસભા ની કાર્યવાહી પુનઃ શરૂ થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.