ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી

ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના 97મા જન્મ દિવસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ લખ્યું છે કે ભારત રત્ન એલ. કે. અડવાણી દેશના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે, જેમણે રાષ્ટ્રના વિકાસ માટે પોતાની જાત સમર્પિત કરી. શ્રી મોદીએ ઉમેર્યું છે કે શ્રી અડવાણી હંમેશા તેમની બુદ્ધિ અને વ્યાપક દૃષ્ટિકોણ માટે આદર પામ્યા છે.
દિગ્ગજ નેતાનું માર્ગદર્શન મેળવવા બદલ પ્રધાનમંત્રીએ પોતાને ભાગ્યશાળી ગણાવતા તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ લખ્યું છે કે આ વર્ષ વિશેષ છે કારણ કે શ્રી અડવાણીને રાષ્ટ્ર પ્રત્યેની તેમની ઉત્કૃષ્ટ સેવા માટે ભારત રત્ન એનાયત કરાયો છે.