ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 17, 2025 7:09 પી એમ(PM)

printer

બનાસકાંઠાના મોટા પીપોદરા ગામમાં 29 આદિવાસી પરિવારોનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનર્વસન કરાવ્યુ

બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં 29 આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન થયું છે. ગામના કુરિવાજ ચડોતરુંના કારણે 12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા 29 આદિવાસી પરિવારોના 300 સભ્યની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે સ્વમાનભેર ઘરવાપસી કરાવી છે. આ પ્રસંગે શ્રી સંઘવીએ બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ