પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તે ભારતની મુત્સદીગીરી અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. તેમણે ઉમેર્યું કે, ગીતા અને નાટ્યશાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે અને તેની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપી રહી છે.
Site Admin | એપ્રિલ 18, 2025 1:52 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી
