ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 11, 2025 7:36 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્યાણલક્ષી વિકાસ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કલ્યાણલક્ષી વિકાસ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવી, વિવિધ લોકલક્ષી યોજનાઓ મહત્તમ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના તાજેતરના આંકડા અનુસાર, ભારતનું સામાજિક સુરક્ષા કવરેજ 2015માં 19 ટકાથી વધીને 2025માં 64.3 ટકા થયું છે. શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની સોશિયલ મીડિયા પોસ્ટ અંગે પ્રતિક્રિયા આપતા, શ્રી મોદીએ આ પહેલોની અસરકારકતા અને પહોંચમાં પ્રશંસનીય વૃદ્ધિને બિરદાવી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ