ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 28, 2025 2:01 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચેની બેઠકમાં દેશની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી. અંદાજે 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠક પહલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદની સ્થિતિ અંગે યોજવામાં આવી.
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ- C.D.S. જનરલ અનિલ ચૌહાણે ગઈકાલે શ્રી રાજનાથ સિંહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. તેમજ પહલગામ આતંકી હુમલા બાદ સેના દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે ચર્ચા કરી હતી.