પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે સાઉદી અરેબિયાના મુખ્ય વેપાર કેન્દ્ર જેદ્દાહ પહોંચશે. ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો આ પહેલો જેદ્દાહ પ્રવાસ હશે. આ પ્રવાસ ભારત અને સાઉદી અરેબિયાના સંબંધોમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનને દર્શાવે છે. અગાઉનાં ભારતીય પ્રધાનમંત્રીઓનો સાઉદી અરેબિયાનો પ્રવાસ રિયાધ સુધી જ મર્યાદિત હતો. વર્ષ 1982માં જેદ્દાહનો પ્રવાસ કરનારાં છેલ્લાં ભારતીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતાં.બે દિવસની આ ઉચ્ચ સ્તરીય મુલાકાત ભારત-સાઉદી સંબંધોના આર્થિક, સંરક્ષણ અને સાંસ્કૃતિક પરિમાણોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં આવેલા નોંધપાત્ર પરિવર્તનને રેખાંકિત કરે છે. ભારત અને સાઉદી અરેબિયા મજબૂત અને બહુપક્ષીય આર્થિક ભાગીદારી ધરાવે છે.
Site Admin | એપ્રિલ 21, 2025 8:38 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલે સાઉદી અરેબિયાના મુખ્ય વેપાર કેન્દ્ર જેદ્દાહ પહોંચશે
