આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75′ મા સ્થાપના દિવસની તીથીઅનુસાર ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર દેશવાસીઓની આસ્થાનું પ્રતિક છે. સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ શક્ય બન્યું. જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લીંગ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951 અને વૈશાખ સુદપાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સવારે 9 કલાક અને 46 મિનિટે કરવામાં આવી હતી.આજે મંદિરના 75મા સ્થાપના દિવસ નિમિત્તે સરદાર વંદના અને સરદારશ્રી ને પૂષ્પાંજલી અર્પણ કરીને સોમનાથ મંદિરનું પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું. આજે વિશેષ સંધ્યા આરતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવશે.
Site Admin | મે 2, 2025 7:00 પી એમ(PM)
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના 75મા સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ
