દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 11 લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરુ છું.દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, આ ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમારત ધરાશાયી થવાથી થયેલા જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
Site Admin | એપ્રિલ 20, 2025 8:57 એ એમ (AM)
દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતાં 11ના મોત પાંચ ઈજાગ્રસ્ત
