પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય મહાસાગર પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ફ્રાન્સ જવા રવાના થયા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ આજથી આ મહિનાની 13 તારીખ સુધી નાઇસ ખાતે યોજાઈ રહી છે.આ ઉચ્ચ સ્તરીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં વિશ્વભરના નેતાઓ, વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ વિશ્વભરના સમુદ્રોના સ્વાસ્થ્ય માટે ટકાઉ સમુદ્ર શાસન અને નક્કર પગલાં અંગે ચર્ચા કરશે. મંત્રીની ફ્રાન્સની મુલાકાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તે સમુદ્ર ટકાઉપણું અને દરિયાઈ સહયોગ પર ભારતના વૈશ્વિક જોડાણ પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરશે. આગામી ત્રણ દિવસ દરમિયાન શ્રી સિંહ મુખ્ય ભાગીદાર દેશોના મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે.
Site Admin | જૂન 8, 2025 10:13 એ એમ (AM)
ડૉ. જિતેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય મહાસાગર પરિષદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ફ્રાન્સ જવા રવાના થયા
