ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 21, 2025 3:32 પી એમ(PM)

printer

જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા ગુજરાતના 50 જેટલા તમામ નાગરિક સલામત છે.

જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનની ઘટનામાં ફસાયેલા ગુજરાતના 50 જેટલા તમામ નાગરિક સલામત છે. ફસાયેલા પ્રવાસીઓની રહેવા અને જમવાની સુવિધા આર્મી કૅમ્પમાં કરવામાં આવી છે. જ્યારે ટ્રાવેલર્સની બસ સલામત જગ્યાએ છે તેમ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું છે. તેમણે કહ્યું, આ વિષયે વધુ માહિતી માટે સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે 079 2325-1900નો સંપર્ક કરી શકાશે.
બીજી તરફ, રામબન જિલ્લામાં ગુજરાતની ફસાયેલી બસમાં પાલનપુરના 15થી વધુ પ્રવાસી હોવાનું જણાયું છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, આ બસમાં તમામ પ્રવાસીઓ સલામત છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે બસમાં સવાર એક પ્રવાસી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ