ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, ખેતરમાંથી પસાર થતાં વિકસિત ભારતના માર્ગને વધુ ફળદ્રુપ બનાવવા માટે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવું જરૂરી છે. ખેડૂતને વધુ સમૃધ્ધ બનાવવાની જવાબદારી કૃષિ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ અને કૃષિ વિદ્યાર્થીઓની હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.ઉપ-રાષ્ટ્રપતિએ ગઈકાલે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સાથેના સંવાદ કાર્યક્રમમાં આ વાત કરી હતી. ખેડૂતો ફક્ત પાક ઉત્પાદક ન રહે, પરંતુ તેઓ કૃષિ-ઉદ્યોગપતિ બને તેવા પ્રયાસો આદરવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
Site Admin | મે 5, 2025 9:37 એ એમ (AM)
ખેતરમાંથી પસાર થતાં વિકસિત ભારતના માર્ગને વધુ ફળદ્રુપ બનાવવા માટે ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવવું જરૂરી-ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
