કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એન. એ. એસ. સી. કોમ્પ્લેક્સ ખાતે ‘સેવ અર્થ કોન્ક્લેવ’ નું ઉદ્ઘાટન કરશે. આ કોન્કલેવ આબોહવા પરિવર્તનને ઘટાડવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે વાંસની ક્ષમતાનું અન્વેષણ કરશે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ટાસ્ક ફોર્સ ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટના અધ્યક્ષ પાશા પટેલે જણાવ્યું કે, શ્રી શાહ ફિનિક્સ ફાઉન્ડેશન સંસ્થા, લાતુર અને ઇન્ડિયન ચેમ્બર ઓફ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર દ્વારા આયોજિત આ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે.
Site Admin | એપ્રિલ 22, 2025 9:09 એ એમ (AM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ‘સેવ અર્થ કોન્ક્લેવ’ નું ઉદ્ઘાટન કરશે
