ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજ્યોનાં મોટા શહેરોને જોડતી દૈનિક ૧ હજાર ૪૦૦થી વધુ અને પ્રવાસન સ્થળો તથા આંતરરાજ્ય મુસાફરી માટે વધારાની બસો દોડાવવામાં આવશે.
નિગમની યાદીમાં જણાવ્યા મુજબ સુરતથી સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત, અને સૌરાષ્ટ્ર માટેની સંખ્યાબંધ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવામાં આવશે,
આ ઉપરાંત ધાર્મિક સ્થળો માટે પણ વધારાની બસો દોડાવવામાં આવશે, જેમાં અમદાવાદથી અંબાજી, સોમનાથ અને દ્વારકા માટે રોજની ૧૦ ટ્રીપ અને ડાકોર, પાવાગઢ, ગીરનાર માટે રોજની ૫ ટ્રીપ તથા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા જેવા પ્રવાસન સ્થળો માટે રોજની ૫ ટ્રીપ તેમજ દીવ અને કચ્છનાં પ્રવાસ માટે રોજની ૧૦ બસોની ટ્રીપ દોડાવવામાં આવશે.
આ ઉપરાંત રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા જવા માટે અમદાવાદથી રોજની બે ટ્રીપ તેમજ મહારાષ્ટ્રના શિરડી, નાશિક, ધુલીયા માટે અમદાવાદના ગીતા મંદિરેથી રોજની બે ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.
Site Admin | મે 3, 2025 3:10 પી એમ(PM)
ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા વધારાની બસો દોડાવાશે
