ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 20, 2025 9:51 એ એમ (AM)

printer

ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સંસ્કૃત ભાષા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સંસ્કૃત ભાષા શીખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વ-વિદ્યાલય ખાતે ગઈકાલે સોમેશ્વર કુમાર છાત્રાવાસ તથા નટેશ્વર રંગમંચનું ખાતમુહૂર્ત કરતા શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, શિક્ષણથી લઈ ધન્વંતરિના આરોગ્ય સુધીના જ્ઞાનને સંસ્કૃત ગ્રંથોમાં સમાહિત કરાયેલું છે, ત્યારે આજે સંસ્કૃત શીખવાની જરૂર છે. સંસ્કૃત એ ટકાવારીનો વિષય નહીં, પરંતુ શીખવાનો વિષય બનવું જોઈએ.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ