ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 26, 2024 7:31 પી એમ(PM)

printer

આગામી દિવાળી મહોત્સવ અંતર્ગત સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે

આગામી દિવાળી મહોત્સવ અંતર્ગત સોમનાથ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલી પર્વે સોમનાથ મંદિર પરિસરમાં ટ્રસ્ટ પરિવાર દ્વારા ભકતો સાથે મળીને નૃત્ય મંડપમાં વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવશે. સમગ્ર મંદિર પરિસરને હજારો દિવડાઓથી સુશોભિત કરવામાં આવશે. સમગ્ર તહેવારોમાં મંદિરમાં પ્રત્યેક દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવશે. દિવાળી મહોત્સવના દરેક દિવસે ટ્રસ્ટના તમામ અતિથિગૃહ અને પરિસર પ્રકાશિત કરવામાં આવશે.
દેશ ભરમાંથી લક્ષ્મી પૂજન નોંધાવનાર ભક્તોને ઓનલાઈન માધ્યમ પર લક્ષ્મી પૂજન કરી પૂજન કરેલ શ્રી યંત્ર, રોજમેળ પેન, અને નમન ભસ્મ પ્રસાદ એમના સરનામા પર પહોચાડવામાં આવશે. 3D લાઈટ એન્ડ સાઉન્ડ શોના તેહવારોમાં 2 શો કરવામાં આવશે જેથી આવનાર યાત્રીઓને બમણો લાભ મળી શકશે. આ ઉપરાંત ટ્રસ્ટના અતિથિગૃહના મેદાનમાં દિવાળીના દિવસે યાત્રીઓને સાથે રાખી ટ્રસ્ટ પરિવાર દીપોત્સવી ઉજવશે. નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને અન્નકૂટ ભોગ લગાવાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.