તમિલનાડુના રામેશ્વરમના 25 માછીમારોને શ્રીલંકાની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
23 ફેબ્રુઆરીના રોજ રામેશ્વરમ નજીક મંડપમમાં માછીમારી કરતી વખતે માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં પ્રવેશ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
શ્રીલંકન નૌકાદળ દ્વારા તેમની બોટ પણ જપ્ત કરવામાં આવી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની અપીલ બાદ વિદેશ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ ગઈકાલે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. માછીમારોને ભારતીય દૂતાવાસના અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. બાદમાં તેમને ફ્લાઇટ દ્વારા ચેન્નાઈ મોકલવામાં આવ્યા હતા.
Site Admin | મે 3, 2025 2:00 પી એમ(PM)
અરબી સમુદ્રમાંથી ઝડપેલા ભારતના 25 માછીમારોને શ્રીલંકાએ મુક્ત કર્યા
