અમદાવાદમાં AMTS બસો હવેથી BRTS કોરીડોરમાં દોડશે. મુખ્ય રોડ પર ટ્રાફિક વધુ હોવાથી આ નિર્ણય લેવાયો છે. પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની 49 બસો દોડશે. જેથી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરથી પણ એએમટીએસની બસ મળી રહેશે. ઓઢવથી ઘુમા, સારંગપુરથી બોપલ, ઘુમાથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ પાંચ રૂટની બસો BRTS કોરિડોરમાં દોડશે.
આ નિર્ણયથી હવે AMTS બસનો અવરજવરનો સમય બચશે, જેના કારણે પ્રવાસીઓ ઝડપથી પોતાના સ્થળ પર પહોંચી શકશે. બસોના સમયપત્રમાં કે હાલના ટીકીટ દરમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. BRTS બસ સ્ટેન્ડ પરથી AMTS બસની ટિકિટ મેળવી શકાશે નહીં માત્ર અવરજવર જ થઈ શકશે.
File Photo